Aapnu Gujarat
બિઝનેસ

એલઆઈસીમાં હવે દર શનિવારે રજા

જાહેર ક્ષેત્રની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસઈ)ના કર્મચારી યુનિયન તેમજ મેનેજમેન્ટ વચ્ચે ચાલી રહેલા લાંબા સમયના વિવાદનો અંત આવ્યો છે. હવેથી એલઆઈસીમાં સપ્તાહના ફક્ત પાંચ દિવસ કામકાજ થશે. ૧૦ મેથી આ નવો નિયમો લાગુ પડશે. સપ્તાહમાં સોમથી શુક્રવાર સુધી જ એલઆઈસીની કચેરીઓમાં કામગીરી ચાલુ રહેશે અને શનિ-રવિ રજા રાખવામાં આવશે. ૧૫ એપ્રિલ ૨૦૨૧ના એક પરિપત્ર મુજબ કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે શનિવારે એલઆઈસીની કચેરીમાં રજા રહેશે. તમામ પોલીસી ધારકો અને હિસ્સેદારોએ આ વાતનો ખ્યાલ રાખવો કે ૧૦મેથી આ નિયમ અમલમાં આવશે.૧૦ મેથી એલઆઈસીની ઓફિસોમાં સોમવારથી શુક્રવાર ૧૦થી ૫.૩૦ સુધી કામકાજ રહેશે તેમ જણાવાયું હતું.

Related posts

બિટકોઈનને રેગ્યુલેટ કરવાની દિશામાં સરકાર

aapnugujarat

વડાપ્રધાન મોદીએ લોન્ચ કર્યો 90 રૂપિયાનો સિક્કો

aapnugujarat

ग्राहक अनुभव सर्वे में अमेजन, डी-मार्ट सबसे आगे

editor

Leave a Comment

UA-96247877-1