વિનોદ ખન્ના તથા ધર્મેન્દ્ર જેવા કલાકારો સાથે કામ કરનાર શ્રીપદાનું ૫ મેના રોજ અવસાન થયું હતું. શ્રીપદાને કોરોના હતો CINTAના જનરલ સેક્રેટરી અમિત બહલે શ્રીપદાના નિધનને કન્ફર્મ કર્યું હતું. હિંદી તથા મરાઠી એક્ટ્રેસ અભિલાષા પાટિલનું પણ કોરોનાને કારણે અવસાન થયું છે. અભિલાષાએ સુશાંત સિંહ રાજપૂત સાથે ’છિછોરે’માં કામ કર્યું હતું.
અમિત બહલે કહ્યું હતું, ’કોવિડની બીજી લહેરે અનેક કિંમતી જીવ લઈ લીધા છે. મીડિયામાં જે પણ લોકોના અવસાન અંગે લખાઈ ચૂક્યું છે, તેને રિપીટ કરવાની જરૂર નથી. શ્રીપદા અમારી ફ્રેટરનિટીની સીનિયર મેમ્બર હતી.’
હિંદી તથા ભોજપુરી ફિલ્મની એક્ટ્રેસ શ્રીપદાના કામ તથા ૬૮ ફિલ્મની ફિલ્મોગ્રાફી અંગે વાત કરતાં અમિત બહલે કહ્યું હતું, ’તેમણે દક્ષિણ તથા આ સાથે જ હિંદી સિનેમામાં અવિશ્વસનિય કામ કર્યું છે. આ બહુ જ કમનસીબ છે કે આપણે એક સીનિયર એક્ટ્રેસને ગુમાવી દીધી. આપણે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તેમની આત્માને શાંતિ આપે. આપણે એ પણ દુઆ કરીએ કે કોરોનાની બીજી લહેરમાં વધુ લોકોના જીવ ના જાય. ખાસ કરીને આપણી ઇન્ડસ્ટ્રીના લોકોની.
પાછલી પોસ્ટ