Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન સામે ઉઠ્યો વિરોધનો સૂર

પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું કામકાજ હજુ પ્રાથમિક તબક્કામાં જ છે, ત્યારે તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. વડોદરામાં કેટલાક લોકોએ આ પ્રોજેક્ટ સામે વિરોધ પ્રદર્શન કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું.વડોદરાની શિલાલેખ સોસાયટી અને પતરાની ચાલીના રહેવાસીઓએ બુલેટ ટ્રેનના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.વડોદરા રેલવે સ્ટેશનની પાછળ આવેલા આ રહેવાસી વિસ્તારોના લોકોનું કહેવું છે કે, જ્યારથી તેમણે સાંભળ્યું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં તેમની સોસાયટી અને આ ચાલી કપાતમાં જાય છે, ત્યારથી તેમની ઊંઘ ઉડી ગઈ છે. રહેવાસીઓએ જણાવ્યું કે, નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના સર્વેયરોએ તેમને કહ્યું હતું કે, તેમણે આ પ્રોજેક્ટ માટે તેમના મકાનો ખાલી કરવા પડશે. અમદાવાદ અને મુંબઈ વચ્ચેના આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ જાપાનના સહયોગથી ચાલી રહ્યું છે. આ બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચેનું ૫૦૮ કિમીનું અંતર માત્ર ૨ કલાકમાં પુરં કરશે. રેલવે મંત્રી પિયુષ ગોયેલે જાપાનના વડાપ્રધાનની અમદાવાદ મુલાકાત પહેલા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં પૂરો કરી દેવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે જાપાને ૫૦ વર્ષ માટે ૦.૧ ટકાના વ્યાજે ૧ લાખ કરોડની લોન આપી છે.જોકે, આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો કેટલાક વિરોધ પક્ષો પણ વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આટલા કરોડ રૂપિયા બુલેટ ટ્રેન માટે ખર્ચવાને બદલે જો એટલા જ રૂપિયામાં વર્તમાન રેલવેની સિસ્ટમ સુધારવા માટે ખર્ચવામાં આવે તો લોકોને વધુ ફાયદો થશે.

Related posts

શાળા સલામતી સપ્‍તાહની ઉજવણીનો પ્રારંભ કરાવતા વલસાડ જિલ્લા કલેકટરશ્રી સી.આર.ખરસાણ

aapnugujarat

अहमदाबाद शहर में ९ दिन में स्वाइन फ्लू से १२ मौत

aapnugujarat

सूरत के जहांगीरपुरा क्षेत्र में संतान नहीं होने पर तांत्रिक से दाग देने पर पत्नी की आत्महत्या

aapnugujarat

Leave a Comment

UA-96247877-1