Aapnu Gujarat
બ્લોગ

પાણી વ્યવસ્થા : સમસ્યા અને સમાધાન

ગુજરાત રાજ્યમાં પાણીની સમસ્યા દિવસે દિવસે વિકટ બની રહી છે ત્યારે પાણીનો સંગ્રહ જરૂરી બની ગયો છે. પરંતુ નવસારી જિલ્લાના કાઠા વિસ્તામાં આવેલ બોરસી માછીવાડ ગામમાં આવેલ પાંચ તળાવ સુકાઈ જતા લોકોએ પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. ઉનાળાની શરૂઆત થાય એ પહેલા પાણીની બૂમો ઉઠવા માંડી છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના માછીવાડ ગામમાં પાણીની સ્થિતિ દુકાળનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ ગામના તળાવોમાં ચોમાસામાં પાણી ભરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરતું ઉનાળાની શરૂઆત થતાની સાથે તળાવના નીર સુકાઈ જતા અહી વસતા ૩૩૦૦ લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે. ગામમાં પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા ગામના લોકોએ ૧૦ કિલોમીટર દુર જઈ પાણી મેળવવું પડે છે. પરતું એ પાણી પણ એક અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ મળતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.માછીવાડ ગામમાં ૫ વર્ષ પહેલા નહેરનું મીઠું પાણી આવતું હતું. પરંતુ કાઠા વિસ્તરામાં ખેતી માટે જમીન ન હોવાના કારણે નહેર ખાતા દ્વારા આ વિસ્તામાં નહેરનું પાણી બંધ કરી દેવાતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઉનાળાની શરૂઆતમાં આ પરિસ્થિતિને કારણે ગામના લોકોને આવનારા દિવસોની ચિંતા સતાવી રહી છે. ગામમાં આવેલ બોર અને હેન્ડ પંપમાંથી પણ ખારું પાણી આવતા ખર્ચો મોંઘો પડે છે અને બીમાર પડવાની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી બાજુ જિલ્લા પંચાયત પ્રમુખનું કહેવુ છે કે બધા તળાવો ભરેલા છે અને પાણી નિયમિત મળે છે.એક તરફ સરકાર લોકોના હિત માટે મોટી મોટી વાતો કરે છે, તો બીજી બાજુ નર્મદાના પાણી પણ ઘટી પડ્યા છે. ત્યારે પ્રમુખ બધુ જ સારું છે, તેવું રટણ કરે છે. જ્યારે કે જમીની હકીકત કંઈક જુદી વાસ્તવિકતા દર્શવી રહ્યું છે. ઉનાળાની ગરમીમાં કાંઠા વિસ્તારમાં રહેતા લોકોની કફોડી હાલત થાય તો નવાઈ નહિ.૨૨મી માર્ચે વિશ્વભરમાં પાણી દિવસની ઉજવણી હવે ગંભીરતાથી કરવામાં આવી છે. કારણકે મનુષ્યની ત્રણ મુખ્ય જરૂરિયાતો પૈકીની સૌથી મહત્વની જરૂરિયાત પાણીની તંગી વર્તાતા હવે પાણી માટે જળયુદ્ધો ખેલવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે આગામી ૨૦ વર્ષમાં પાણીની ગંભીર કટોકટી ઊભી થશે. વિશ્વના જળ સરોવરો ઝડપથી સૂકાઈ રહ્યા છે જેના કારણે વધતી વસ્તી સામે પાણીની ભારે તંગીનો સામનો કરવો પડશે. વૈશ્વિક ચેતવણી તો એવી આપવામાં આવી છે કે સરેરાશ વ્યક્તિના પાણી પુરવઠામાં કાપ મૂકવાનો વારો આવશે ! સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે રાજકીય નેતાઓ યોગ્ય અને અસરકારક પગલાં લેવામાં નિષ્ફળ નીવડ્યા છે. કેટલાક કેસોમાં પાણીની ગંભીર કટોકટી અંગે વિવાદ ઊભા થયા છે. વિશ્વના કુલ વસ્તી પૈકીના ૨૦ ટકા વસ્તી શુદ્ધ પીવાનું પાણી ધરાવતી નથી જે મોટી સમસ્યા છે. વર્લ્ડ વોટર એસેસમેન્ટ પ્રોગ્રામ ડિરેક્ટર ગોલ્ડન યંગે જણાવ્યું છે કે પાણીની કટોકટી ઊભી થવાની છે.પૃથ્વી ઉપર પાણીનો કુલ જથ્થો એક અબજ ૩૫ કરોડ ધન કિલોમીટર જેટલો છે. તેનો માત્ર ૨.૬૦ ટકા ભાગ જ સ્વચ્છ પાણીનો છે. બાકીનો ૯૭.૪૦ ટકા જથ્થો દરિયાના ખારા પાણીના રૂપમાં છે. સ્વચ્છ પાણી કે ૨.૬૦ ટકા છે. તેનો કુલ જથ્થો ૩ કરોડ ૬૦ લાખ ધન કિલોમીટર છે. જેમાંનું ૦.૬૦ ટકા પાણી જ નદીઓ, તળાવો, સરોવરો, કુવાના રૂપમાં ઉપલબ્ધ છે. બાકીનું બધું જ પાણી ઉત્તર અને દક્ષિણ ધ્રુવો ઉપર કેટલાય કિલોમીટર લાંબા પર્વતો અને હિમનદીઓના સ્વરૂપે સચવાયેલું છે.માનવ સંસ્કૃતિનો ઈતિહાસ દર્શાવે છે કે જ્યારે કોઈ વસ્તુનો અભાવ વર્તાવા માંડે છે ત્યારે તે અણમોલ બની જાય છે. પછી એ અણમોલ વસ્તુની પ્રાપ્તિ માટે યુદ્ધ શરૂ થઈ જાય છે. વીસમી સદીની વિદાયવેળાએ વિશ્વ બેંક દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા એક અહેવાલમાં એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે કે, ૨૧ મી સદીમાં જે નાના મોટા યુદ્ધો અથવા મહાયુદ્ધો થશે એ પાણી માટે ખેલાશે. આ અહેવાલમાં આવેલી માહિતી અનુસાર ૨૧મી સદીના આરંભે પણ વિશ્વની ૪૦ ટકા વસ્તિને પીવાનું પાણી મેળવવા ફાંફા મારવા પડે છે. વિશ્વના ૮૦ દેશો એવા છે કે, જ્યાં પાણીની નળની સુવિધા છે.પણ ત્યાં મનુષ્ય જીવન સ્વસ્થ રહી શકે તેટલું પૂરતું પાણી મળતું નથી. વિશ્વ બેંકના આ અહેવાલમાં એવી પણ ભલામણ કરવામાં આવી છે પછાત, વિકસિત કે વિકાસશીલ દેશ હોય તેણે પોતાનો પાણીનો જથ્થો જાળવી રાખવા માટે વહેલી તકે પાણી રેશનિંગની વ્યવસ્થા શરૂ કરવી જોઈએ. કેમ કે ૨૧ મી સદીનો આરંભ જ જળસંકટ સાથે થશે. આંકડાઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, દરેક ૨૧ મા વરસે પાણીની જરૂરિયાત બમણી થઈ જાય છે.કુદરતના કેટલાક અદ્ભૂત સર્જનોમાં પાણી એક અદભૂત સર્જન છે. આપણા શરીરનો મોટો ભાગ પાણીનો બનેલો છે. પાણી જેમ આપણા શરીરને વધુ પડતું ગરમ થતું અટકાવે છે તેવી જ રીતે પાણી પૃથ્વીને વધુ પડતી ઠંડી થતી અટકાવે છે. મનુષ્યના મગજમાં ૭૪.૫ ટકા, હાડકામાં ૨૨ ટકા, કિડનીમાં ૮૨.૭ ટકા, સ્નાયુમાં ૭૫ ટકા, લોહીમાં ૮૩ ટકા પાણીનો ભાગ હોય છે. પાણી સિવાય જીવન શક્ય નથી.
બીજી રીતે જોઈએ તો દરેક ક્ષેત્રે અને સમયે પાણીની ઉપયોગીતા અને અનિવાર્યતા છે.ખેતીમાં સિંચાઈ ક્ષેત્રે ૭૩ ટકા પાણીનો ઉપયોગ થાય છે. ઉદ્યોગમાં પણ પાણી અનિવાર્ય છે. ૧ લિટર પેટ્રોલ ઉત્પન્ન કરવામાં ૧૦ લિટર પાણી જોઈએ. ૧ કિલો કાગળ ઉત્પન્ન કરવા માટે ૧૦૦ લિટર પાણી જોઈએ. ૧ કિલો ચોખા પકવવામાં ૪૫૦૦ લિટર પાણી જરૂરી છે. એક ટન લોખંડ ઉત્પન્ન કરવામાં ૨૦,૦૦૦ લિટર પાણી જોઈએ. આમ દરેક વસ્તુઓ ઉત્પન્ન કરવા માટે પાણીએ પ્રાથમિક અને અનિવાર્ય પ્રવાહી છે.આપણે પાણી પ્રશ્ને જાગૃત થવું કેટલું જરૂરી છે તે ૧૯૯૦ થી ૨૦૦૫ ના ગાળામાં પાણી વપરાશ અને પાણીની પ્રાપ્યતા વચ્ચે અંતર સતત વધતુ જશે એ પાણી અંગે અને દુનિયામાં કેવી કપરી સ્થિતિ સર્જાશે. પાણીનો વપરાશ વિભાગવાર કેટલો વિશ્વ સ્તરે. ૧. ખેતીમાં ૬૯ ટકા પાણી વપરાય છે. ૨. ઉદ્યોગમાં ૨૩ ટકા પાણી વપરાય છે. ૩. ઘરવપરાશ પીવામાં ૮ ટકા પાણી વપરાય છે. કુલ ૧૦૦ ટકા.અને પરિણામે જળસ્ત્રોતો પર દબાણ વધતુ જાય છે ૧૯૯૭ની વિશ્વની કુલ વસ્તી ૫૮૪૦ મિલીયન હતી તે ૨૦૨૫ સુધીમાં ૨૧૯૬ મીલીયન વધારો થઈને ૮૦૩૬ મિલીયન થઈ જશે.દિલ્હી, મુંબઈ વગેરે મોટા શહેરોના લોકોના પાણી વપરાશનો રેશિયો છે. ગ્રામ્ય વિસ્તારમાં તો પાણીની પ્રાપ્તિનો જ મોટો પ્રશ્ન છે. દુનિયાના વિવિધ ખંડોમાં વધતી જતી વસ્તીનો દર ૧૯૯૦માં વિશ્વનો માથાદીઠ વાર્ષિક જળ જથ્થો ૯૨૫૫ ઘ. મી. હતો તે ૨૦૨૫ સુધીમાં ઘટીને ૫૮૯૬ ધ.મી. થઈ જશે.આ આંકડાનો વિશ્વની એવરેજ છે. પણ પાણી અછતવાળા દેશોની સ્થિતિ તો પાણી પ્રાપ્યતા બાબતે ખૂબ જ વિકટ થઈ જશે. વસ્તી વધારાનો દર વધુ છે. પાણીની પ્રાપ્યતા ઝડપી રીતે ઓછી થતી જવાથી આજે પણ ભારતમાં ૪.૫૦ કરોડ લોકો પ્રદૂષિત પાણીના કારણે વિવિધ બિમારીઓના ભોગ બનેલા છે.વિકાસશીલ દેશોમાં ખેત ઉત્પાદન માટે ૫૫ ટકા જેવી જમીન સારી છે. ૨૩ ટકા જેટલી જમીન ખેત ઉત્પાદન માટે મધ્યમ પ્રકારની છે. અને ૨૨ ટકા જમીન ખેતી માટે તદન નબળી છે. આ સ્થિતિને પણ ધ્યાને લઈ ભવિષ્યની અન્નની જરૂરિયાતને પહોંચી વળવા વિચારવા આયોજન કરવું જરૂરી છે. પૃથ્વીનું તાપમાન વધતું જવાના કારણે ભારતમાં ચોખા, ઘઉં જેવા પાકોના ઉત્પાદનમાં ૨૦૫૦ સુધીમાં ૫ થી ૩૦ ટકા ઘટાડો થવાની શક્યતા છે.ભારતમાં બધા પ્રયત્નો પછી પણ માંડ વાર્ષિક ૧.૭ ટકાના દરે અન્ન ઉત્પાદન વધારી શક્યા છીએ. પણ વસ્તી વધારાની ગતિ વર્ષ ૧.૯ ટકાના દરે વધે છે. ભારત દેશમાં ૨૦૨૫ સુધીમાં તો હેકટર દીઠ ૮ ટન ઉત્પન્ન કરવાની જરૂરિયાત ઊભી થશે. ત્યારે આપણી દશા કેવી થશે.પૃથ્વીના વધતા જતા તાપમાનને કારણે બરફ ઓગળીને દરિયાની સપાટી સતત વધી જશે પરિણામે ૨૦૫૦ સુધીમાં ભારતની દરિયાકાંઠાની ૩૬૦૦૦ ચોરસ કિલોમીટર જમીન દરિયાના ખારા પાણી નકામી બનાવી દેશે.
આ બધી બાબતો ૨૧મી સદીના ભારતના લોકોને જાગૃત બનવા સૂચવે છે.૨૦૨૫ માં પાણી પ્રશ્ન વધુ વિકટ બનશે. ૨૦૨૫માં પાણીની જરૂપિયાત અને પ્રાપ્યતાના અંદાજો મુજબ ૨૦૨૫માં સૌરાષ્ટ્ર- કચ્છની પાણીની વાર્ષિક જરૂરિયાત ૧૪૪૪૦ મી. ધ.મી. સામે પાણીની પ્રાપ્યતા ૧૦૧૭૧ મી. ધ.મી. હશે. એટલે કે ૪૨૬૯ મી. ધ.મી. (૪૧.૯૭%) પાણીની વાર્ષિક ખાધ રહેશે. એ જ રીતે ઉત્તર ગુજરાતની પાણીની વાર્ષિક જરૂરિયાત ૧૮૩૬૦ મી. ઘ.મી.ની સામે પાણીની વાર્ષિક પ્રાપ્યતા ૧૦૨૧૨ મી. ધ.મી.ની હશે. અને ૮૪૧૮ મી. ઘ.મી. (૮૨.૪૩%) પાણીની વાર્ષિક ખાધ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતની પાણીની વાર્ષિક જરૂરિયાત ૧૫૫૦૦મી ઘ.મી.ની સામે વાર્ષિક પાણીની પ્રાપ્યતા ૨૮૧૮૭મી ઘ.મી. રહેશે. આ હિસાબે દક્ષિણ ગુજરાત પાસે પાણીનો વાર્ષિક વધારો ૧૨૬૮૭ મી. ઘ.મી.નો રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતની વાર્ષિક ખાદ્ય પણ ૧૨૬૮૭મી. ઘ.મી. ની જ છે.૧૯૧૧૧ માંથી ૪૬૫૯ ગામોના પાણી ખરાબ છે. પાણીની અછતનાં કારણે આરોગ્યને હાનિકારક, ન પીવાલાયક પાણી પણ રાજ્યનાં સેંકડો ગામોમાં લોકોએ પીવું પડે છે.
ફ્લોરાઈડ, નાઈટ્રેટ, સેલિનિટીની અસરવાળા પાણી મળે છે. તેવા ગામોની સંખ્યા પણ મોટી છે. જિલ્લાના કુલ ગામો અને ખરાબ પાણીવાળા ગામો આ પ્રમાણે છે. અમદાવાદ-૭૮૬ (૨૯૯), જુનાગઢ-૧૦૭૧ (૧૩૯), રાજકોટ-૮૫૪ (૭૫), સુરેન્દ્રનગર-૬૫૨ (૧૧૧), અમરેલી૬૨૩ (૧૫૮), ભાવનગર-૯૧૯ (૨૪૭), જામનગર-૬૯૩ (૯૫), ગાંધીનગર-૯૬ (૩૨), સાબરકાંઠા-૧૮૪૭ (૫૩૨), બનાસકાંઠા-૧૫૫૬ (૧૭૩), કચ્ચ-૯૯૭ (૧૪૩), મહેસાણા-૧૬૪૬ (૬૫૮), બરોડા-૧૬૫૧ (૪૦૮), ખેડા-૯૭૩ (૪૫૫), ભરૂચ-૧૧૨૩ (૧૮૩), સુરત-૧૧૯૦ (૯૫), પંચમહાલ-૧૮૯૫ (૫૦૬), વલસાડ-૮૨૬ (૬૨), ડાંગ-૩૧૧
રાજ્યના કુલ ૧૯૧૧૧ ગામોમાંથી ફલોરાઈડ અસરવાળા ૨૮૨૬૦ ગામો નાઈટ્રેટની અસરવાળા ૭૮૫ ગામો સેલિનિટીની અસરવાળા ૧૦૪૮ ગામો મળી કુલ ૪૬૫૯ ગામોના લોકોએ નાછૂટકે બિનઆરોગ્યપદ પાણી પીવું પડે છે.
આ સ્થિતિ જોતાં માનવીને બચવું હશે તો પાણીને બચાવવું પડશે. પાણીને પ્રદૂષિત થતું અટકાવવું પડશે. આ માટે સરકાર અને સરકારી તંત્ર દ્વારા જેટલા પ્રયાસો થતા હોય તે થાય. પરંતુ લોકોએ દરેક નાગરિકોએ પોતાની ફરજ સમજીને પોતાનાથી થઈ શકે તેટલા પ્રયાસો કરવા અનિવાર્ય છે.
સૌરાષ્ટ્ર-કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં પાણી પ્રશ્ને લોકોમાં ધીરે ધીરે સમજ કેળવાતી જાય છે. જાગૃતિ આવતી જાય છે. સૌરાષ્ટ્ર – કચ્છના સેંકડો ગામોમાં લોકો દ્વારા વરસાદી પાણી રોકવા સંગ્રહવા અને ભૂતળમાં ઊતારવા માટે જળસંચયના વ્યાપક કાર્યો થવા લાગ્યા છે. પાણી અછતવાળા અન્ય વિસ્તારોમાં પણ લોકો દ્વારા જળ સંચયના કાર્યો માટે વલણ વધતું જાય છે જે ખૂબજ સારા ચિહનો છે.

Related posts

હિમાલય ધીમે ધીમે પીગળી રહ્યો છે

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

ઝેર ગામ તળાવ ઉડું કરવાની કામગીરીમાં જોતરાયેલા શ્રમિકોનાં ચહેરા પર પ્રસરી છે ખુશીની લહેર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1