Aapnu Gujarat
બ્લોગ

જજ લોયાનો કેસ વિવાદાસ્પદ બન્યો

સીબીઆઈના સ્પેશિયલ જજ બી.એચ. લોયાનાં મૃત્યુ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતાં કહ્યું કે જસ્ટીસ લોયાનાં મૃત્યુ મામલે સીબીઆઈ તપાસ કરવામાં નહીં આવે.આ ચુકાદા સાથે જ સુપ્રીમ કોર્ટે તેમનાં મૃત્યુ અંગે સ્વતંત્ર તપાસની અરજીને નકારી દીધી છે.ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું કે જસ્ટીસ લોયાનાં મૃત્યુ અંગે એસઆઇટી તપાસ પણ કરવામાં નહીં આવે.ચીફ જસ્ટીસ દીપક મિશ્રાનાં નેતૃત્વમાં બનેલી ત્રણ જજોની બૅન્ચે કહ્યું કે મૃત્યની રાત્રે તેમની સાથે રહેલા જજોનાં નિવેદનો પર શંકા કરી શકાય એવું કોઈ કારણ નથી. આ જજોની છબી ખરાબ કરવાની કોશિશ છે.ચુકાદામાં કોર્ટે કહ્યું કે પોતાનો એજન્ડા ચલાવવા માટે પીઆઈએલ કરવામાં આવી હોય તેવું લાગે છે.કોર્ટે કહ્યું કે જે જાહેરહિતની અરજીઓ કરવામાં આવી છે તેમાં કોઈ મેરિટ નથી. આવી મોટીવેટેડ પીઆઈએલથી કોર્ટનો સમય ખરાબ થાય છે. જજ લોયાનું મૃત્યુ કુદરતી રીતે જ થયું છે.આ કેસમાં સ્વતંત્ર તપાસની માગણી માટે જાહેરહિતની અરજીઓ થઈ હતી. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષે દલીલો સાંભળ્યા બાદ આ ચુકાદો આપ્યો હતો.સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દિપક શર્માની સાથે જસ્ટીસ એ. એમ. ખનવિલકર અને જસ્ટીસ ડી. વાય. ચંદ્રચૂડની બૅન્ચે તમામ દલીલો સાંભળી હતી.જેમાં સુપ્રીમ કોર્ટમાં બે જાહેરહિતની અરજી પત્રકાર બી. આર. લોન અને સામાજીક કાર્યકર્તા તહેસિન પૂનાવાલાએ દાખલ કરી હતી.ઉપરાંત સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટમાં થયેલી બે અરજીઓને પણ પોતાને ત્યાં ટ્રાન્સફર કરી હતી. રેકોર્ડમાં દર્શાવ્યા મુજબ સીબીઆઈના સ્પેશિયલ જજ બી. એચ. લોયાનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું.તેમનું મૃત્યુ ૧ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ મહારાષ્ટ્રનાં નાગપુર શહેરમાં થયું હતું.જોકે, તેની સામે પાંચ અરજીકર્તાઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા કે આ જસ્ટીસ લોયાનાં મૃત્યુ અંગે સ્વતંત્ર તપાસ કરવામાં આવે.અરજીકર્તાઓની દલીલ હતી કે જસ્ટીસ લોયાનું મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું હતું.૨૦૧૪માં જ્યારે તેમનું મૃત્યું થયું હતું ત્યારે તેઓ સોહરાબુદ્દીન શેખ ફેક એન્કાઉન્ટરના કેસમાં જજ હતા.આ કેસમાં વર્તમાન ભાજપના અધ્યક્ષ અમિત શાહ આરોપી તરીકે હતા, બાદમાં તેમને નિર્દોષ જાહેર કરાયા હતા. ’ધ કૅરવૅન’ મેગેઝિનમાં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ સમગ્ર મામલો ફરીથી પ્રકાશમાં આવ્યો હતો.’ધ કૅરવૅન’ના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે જસ્ટીસ લોયાનાં બહેન કહ્યું હતું કે તેમનો મૃતદેહ ઘરે આવ્યો ત્યારે તેમના શર્ટ, ગળા અને પાછળના ભાગે લોહીના દાગ હતા.આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે અન્ય પરિવાજનોએ પણ તેમના માથાના ભાગે ઇજાઓનાં નિશાન જોયાં હતાં.જોકે, ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં સરકારના ફોરેન્સિક રિપોર્ટને આધાર ગણીને કહેવામાં આવ્યું હતું કે લોહીના દાગ પોસ્ટમોર્ટમ દરમિયાન થયા હતા.જોકે, મીડિયામાં આવેલા પરિવારની શંકાના અહેવાલ બાદ આ કેસ ફરી ચર્ચામાં આવ્યો હતો.’ધ કૅરવૅન’ના અહેવાલ મુજબ જસ્ટીસ લોયાના પરિવારે તેમનાં મૃત્યુ પર અનેક મામલે શંકાઓ કરી હતી.જે બાદ તેમનાં મૃત્યુ અંગે બોમ્બે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજીઓ થઈ અને ત્યારબાદ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં આવ્યો, જેમાં સ્વતંત્ર તપાસની માગણી કરવામાં આવી હતી. સીબીઆઈના વિશેષ જજ બૃજગોપાલ લોયાના મૃત્યુની પરિસ્થિતિઓને અંગ્રેજી પત્રિકા ’ધ કૅરવૅન’ દ્વારા શંકાસ્પદ દર્શાવી હતી.પત્રિકામાં મૃત જજના પરિવાર સાથે વાતચીતના આધાર પર એક રિપોર્ટ તૈયાર કરાયો હતો.આ રિપોર્ટ જાહેર થયા બાદ કેટલાક નિવૃત્ત જજ, વકીલ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ઘણા નેતાઓએ લોયાના મૃત્યુ અંગે તપાસ કરાવવા માંગ કરી હતી.લોયાનું મૃત્યુ પહેલી ડિસેમ્બરની સવારે નાગપુરમાં થયું હતું, ત્યાં તેઓ એક લગ્ન સમારોહમાં સામેલ થવા ગયા હતા. તેમના મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો જણાવવામાં આવ્યું છે. પત્રિકા ’ધ કૅરવૅન’ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, જજ લોયાને ઑટોરિક્ષામાં હૉસ્પિટલ લઈ જવાયા હતા.આ સિવાય લોયાના બહેને સવાલ ઉઠાવ્યો છે કે, જો હૃદયરોગનો હુમલો આવ્યો હતો તો તેમનું ઇસીજી કેમ ન કરાયું?’ઇન્ડિયન એક્સપ્રેસ’માં ઇસીજીનો રિપોર્ટ પ્રકાશિત થયો છે. દાંડે હૉસ્પિટલના પ્રબંધકોએ પણ ન્યૂઝપેપરને જણાવ્યું છે કે, જજ લોયાનો ઇસીજી ટેસ્ટ કરાયો હતો.પરંતુ ’ધ કૅરવૅન’ના રાજકીય મામલાના સંપાદક હરતોષ સિંઘ બલે ટ્‌વીટ કરીને જણાવ્યું છે કે “અત્યાર સુધી એટલી જ નોંધ લેવી પૂરતી નથી કે ઇન્ડિયન એક્સપ્રેસે જે ઇસીજી રિપોર્ટ છાપ્યો છે, જેનો હવાલો એનડીટીવીએ આપ્યો છે, તેના પર તારીખ ૩૦ નવેમ્બરની છે, જે જજ લોયાના મૃત્યુના એક દિવસ અગાઉની છે.”અંગ્રેજી ન્યૂઝપેપર ’ઇન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા ’ધ કૅરવૅન’ના રિપોર્ટ પર સવાલ ઉઠાવાયા હતા.ન્યૂઝપેપરે મુંબઈ હાઇકોર્ટના બે જજ- જસ્ટિસ ભૂષણ ગવઈ અને જસ્ટિસ સુનીલ શુકરે સાથે વાતચીત કરી છે, એ બન્નેનું કહેવું છે કે, તેઓ જજ લોયાના મૃત્યુ સમયે હૉસ્પિટલમાં હાજર હતા. ’ઇન્ડિયન એક્સપ્રેસ’એ લખ્યું છે કે, બન્ને જજોનું માનવું છે કે લોયાના મૃત્યુની પરિસ્થિતિઓમાં એવું કંઈ પણ ન હતું, જેના પર શંકા ઊભી થાય.જસ્ટિસ શુકરેએ કહ્યું, “તેમને ઑટોરિક્ષામાં હૉસ્પિટલ લઈ જવાનો સવાલ જ નથી, જજ બરડ તેમને પોતાની કારમાં દાંડે હૉસ્પિટલ લઈ ગયા હતા.”’ધ કૅરવૅન’ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તેમને ઑટોરિક્ષામાં હૉસ્પિટલ લઈ જવાયા હતા.દરમિયાન જજ લોયાના ગૃહ નગર લાતૂરના બાર એસોસિયેશને મામલાની તપાસની માંગ કરતા સોમવારના રોજ પ્રદર્શનની ઘોષણા કરી છે.યુપીએ સરકાર વખતે લોકપાલબિલ માટે બણગાં ફૂંકનાર અને સી.બી.આ.ઈને સત્તાના પીંજરાનો પોપટ કહેનાર ભાજપે પણ મે-૨૦૧૪ પછી સી.બી.આઈ.ને કેવી રીતે પીંજરાનો પોપટ બનાવી દીધો છે, સોહારાબુદ્દીન કેસના નવાં સ્ફોટક તથ્યો તેની પ્રતીતિ કરાવે છે.સોહારાબુદ્દીનના ખૂન પછી, તેની પત્ની કૌસરબી પરના બળાત્કાર અને ખૂન પછી, સોહરાબુદ્દીનના ભાઈ રબાબુદ્દીને પોલીસના આ નકલી એકાઉન્ટર સામે સુપ્રીમની મદદ માંગતા આ કેસને ૨૦૦૫માં સુપ્રીમ કોર્ટે ‘ખાસ કેસ’નો દરજ્જો આપી સી.બી.આઈ.ને સોંપ્યો હતો. સાથોસાથ બે સૂચનાઓ પણ આપવામાં આવી હતી કે આ કેસ પતે નહીં, ત્યાં લગી એના ન્યાયાધીશની બદલી નહીં કરવી તેમ જ આ કેસ ગુજરાતની બહાર ચલાવવામાં આવે. આ કેસમાં આરોપીઓ મોટાં માથાં હતા. તત્કાલીન ગૃહમંત્રી અમિત શાહ અને ડી.જી. વણઝારા, અભય ચુડાસમા સમેત મોટા બાર પોલીસ-અધિકારીઓ સંડોવાયેલા હતા જેના કારણે આ કેસ ઘણો જ સંવેદનશીલ ગણી શકાય.સી.બી.આઈ. ન્યાયાધીશ શ્રી ઉટપુટે વારંવાર અમિત શાહને બોલાવ્યા છતાં એ હાજર થતાં ન હતા. અમિત શાહ સહિત બધાને ચાર્જશીટ મળી છતાં આ અનાદર કરાવ્યો. તેથી ન્યાયાધીશ ઉટપુટે ૨૬મી જૂન, ૨૦૧૪ની સુનાવણીની છેલ્લી તારીખ ફાળવી હતી. આ દરમિયાન મે ૨૦૧૪માં ભાજપ સત્તા પર આવ્યો અને આશ્ચર્ય વચ્ચે સુનાવણીના અગાઉના દિવસે ૨૫મી જૂને જ સુપ્રીમ કોર્ટની સૂચનાને બાજુ પર મૂકી શ્રી ઉટપુટની બદલી કરી દેવામાં આવી! મહારાષ્ટ્ર સરકારે ખુલાસો કર્યો કે આ બદલી શ્રી ઉટપુટની માંગણી હોવાથી કરવામાં આવી છે. આ માંગણી પાછળ ન્યાયાધીશને લાગેલો ડર નકારી શકાય તેમ નથી.બીજી તરફ શ્રી ઉટપટની જગાએ નિમાયેલા નવા ન્યાયાધીશશ્રી વ્રજમોહન લોયા પણ ફરી ફરી અમિત શાહને હાજર થવા માટે જણાવતા રહ્યા, પરંતુ અમિત શાહ એને ટાળતા જ રહ્યા! નાનકડા સમારંભમાં નાગપુર ખાતે ગયેલા વ્રજમોહન લોયાનું અતિશંકાસ્પદ હાલતમાં પહેલી ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ ત્યાંના સરકીટહાઉસમાં મૃત્યુ થયું. પરિવારને જણાવવામાં આવ્યું કે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. આ વ્રજમોહન લોયાના મૃત્યુની આસપાસ વીંટળાયેલી કેટલીક હકીકતો એમનાં બહેન અનુરાધા લોયા, લોયાના પિતાજી અને પુત્રને શંકાસ્પદ લાગી છે.આવા સંવેદનશીલ કેસ સાથે જોડાયેલા ન્યાયાધીશને બે દવાખાનાં પર રિક્સા-સ્ટેન્ડમાંથી રિક્સા લઈને લઈ જવામાં આવ્યા છે! પરિવારને પાંચ વાગે મૃત્યુનો ફોન આવ્યો છે. પોસ્ટમૉર્ટમમાં ૬ઃ૧૫નો સમય મૃત્યુનો નોંધવામાં આવ્યો છે. સરકારી દવાખાનામાં તો રાતે બાર વાગે મોત પામેલા બતાવ્યા છે. લોયાના પિતાનું કહેવું છે કે વ્રજમોહનની લાશ માથા પાછળથી ઘવાયેલી હતી. શર્ટ પર લોહીના ડાઘા હતા. હૃદયહુમલામાં આ ન હોઈ શકે. તદુપરાંત પોસ્ટમૉર્ટમ રિપોર્ટ માટે લગભગ ફરજિયાત ગણાય તેવી પરિવારજનોની પરવાનગી લેવામાં જ આવી નથી. પોસ્ટમૉર્ટમમાં રિપોર્ટમાં એક પોલીસ-કર્મચારીની સહી છે, જ્યારે બીજી સહી વ્રજમોહનના પિતરાઈ ભાઈ તરીકે કોઈએ કરી છે! વ્રજમોહન લોયાના પિતાજીએ કહ્યું કે અમારે આવો કોઈ જ પિતરાઈ ભાઈ નથી!
બીજી કેટલાક સવાલો પણ આ આખી માહિતી બહાર લાવનાર ‘કારવાન’ના પત્રકાર નિરાંજન ટકલે એ વ્રજમોહન લોયાનાં બહેન અનુરાધા લોયાની મુલાકાત લઈને ઊભા કર્યા છે. વ્રજમોહન લોયાની લાશ એમના પૈતૃક ગામ લઈ જવામાં આવી, જ્યાં લાશની સાથે ડ્રાઇવર સિવાય ઍમ્બ્યુલન્સમાં કોઈ જ ન હતું! આવડા મોટા કેસ સાથે સંકળાયેલા ન્યાયાધીશ સાથેનો આ વહેવાર શંકાસ્પદ નથી?
બીજું, વ્રજમોહન લોયાનાં બહેન અનુરાધા લોયાના જણાવવા અનુસાર એમને જ્યારે ભાઈના મૃત્યુની જાણ થઈ ત્યારે તેઓ પોતે શારદા હૉસ્પિટલમાં પોતાનાં બીજાં સ્વજનોની ચાકરીમાં હતાં. એમને જાણ કરવા માટે ઈશ્વર બહૈટી નામના આર.એસ.એસ. કાર્યકર્તા આવ્યા હતા. એ જ વખતે અનુરાધાબહેને એમને પૂછ્યું હતું કે ‘હું શારદા હૉસ્પિટલમાં છું એ એવા અજાણ કાર્યકર્તાને શી રીતે જાણ થઈ?’ કારવાનના પત્રકારે ઈશ્વર બહૈટીનો સંપર્ક કર્યો, પરંતુ તે કોઈ જ વાત કરવા તૈયાર નથી! આ મૃત્યુને શંકાસ્પદ બનાવતાં તમામ તથ્યો મોજૂદ છે. ન્યાયાધીશ જેવા હોદ્દાનો પ્રોટોકોલ જળવાયો નથી. સૌથી મોટી વાત એ છે કે પંચનામું પણ થયું નથી, જે સામાન્ય કાર્યવાહી છે. વ્રજમોહન લોયાનો મોબાઇલ ફોન તો પરિવારને આપવામાં આવ્યો, પરંતુ સંપૂર્ણ ડેટાબેઝ ડિલિટ કરીને આપવામાં આવ્યો છે! શું આ ડેટા પુનઃ ન મેળવી શકાય? ભારેખમ આરોપીઓ સામેના ન્યાયાધીશ માટે આવી લાપરવાહી એ વધુ એક ફેક એનકાઉન્ટરની શંકા ઊભી કરે છે. વ્રજમોહન લોયા સરકારી ગેસ્ટહાઉસમાં રોકાયા હતા અને બે વાગે રિક્સાસ્ટેન્ડ પરથી રિક્સામાં દવાખાને લઈ જવામાં આવ્યા! ત્રણ વર્ષ પછી એમની બહેને મૌન તોડ્યું છે. પત્ની-પુત્ર હજુ પણ ગભરાયેલાં જ છે.બીજી તરફ વ્રજમોહન લોયાના સ્થાને આવેલા ન્યાયાધીશ શ્રી ગોસ્વામીએ જેમને ચાર્જશીટ અપાયેલી એવા અમિત શાહને કોર્ટમાં બોલાવ્યા વિના જ ‘નિર્દોષ’ છે નો ચુકાદો પણ આપી દીધો! લોયાના મૃત્યુ વખતે સંસદના શીતકાલીન સત્ર વખતે ટી.એમ.સી.ના સાંસદોએ દેખાવો કર્યા હતા પણ એને ગંભીરતાથી ન લેવામાં આવ્યા! સોહારાબુદ્દીનનો ભાઈ પૂરી સુપ્રીમ કોર્ટમાં ગયો પણ સુનાવણી આવતાં જ એણે પણ અપીલ પાછી ખેંચી લીધી!ઉલ્લેખનીય છે કે સોહરાબુદ્દીનનાં ભાઇએ લાંબી લડત આપી હતી પણ કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા બાદ તેને સમજાઇ ગયું કે હવે કશું નહી થાય.

Related posts

ગાંધી હત્યા અને નથુરામ ગોડસે

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

કૃષિ માટે હંગામી નહી લાંબા ગાળાનાં ઉપાય અનિવાર્ય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1