ગીર-સોમનાથ જિલ્લામાં અખાત્રીજ ના દિવસે પરંપરા મુજબ બહોળા પ્રમાણમાં લગ્નો થતા હોય છે. જેમાં બાળ લગ્નો પણ થતા હોય છે. જે અટકાવવાં માટે તાલુકા દીઠ ખાસ ટીમની રચના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા કરવામાં આવેલ છે. નિવાસ અધિક કલેકટરશ્રી એચ.આર.મોદી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હંસાબેન વાળાનાં માર્ગદર્શન હેઠળ બાળ લગ્નો થતાં અટકાવવાની કામગીરી આ ટીમો કરશે અને જન્મ તારીખનાં પુરાવાની ખરાઇ કરશે તેમજ બાળ લગ્ન હશે તો ટીમ દ્વારા બાળલગ્ન પ્રતિબંધક ધારા-૨૦૦૬ મુજબ કાર્યવાહી કરશે. તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.
Report : Bhaskar Vaidh Somnath