Aapnu Gujarat
મનોરંજન

કાર્ટૂન ચેનલો પર જંક ફૂડની જાહેરખબરો પર લગાવાયો પ્રતિબંધ

ભારત સરકારે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા મોટો નિર્ણય લીધો છે. હવે કાર્ટૂન ચેનલો પર જંક ફૂડની જાહેરાતો બતાવવામાં આવશે નહીં.  સરકારે સંસદને જાણકારી આપતા જણાવ્યું કે, આ નિર્ણય બાળકોને જંક ફૂડથી બચાવવાનો એક પ્રયાસ છે. ૯ જાણીતી ફૂડ કંપનીઓએ બાળકોની ચેનલો પર આ પ્રકારની જાહેરાત નહી કરવાનું વચન આપ્યું છે. લોકસભામાં વિનાયક રાઉતના એક સવાલના જવાબમાં સૂચના અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠૌડે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, જંક ફૂડ સંબંધિક ભ્રામક જાહેરાતો વિરુદ્ધ જાગરૂકતા ફેલાવવામાં આવી રહી છે.  ભ્રામક જાહેરાતોના પ્રસારણ સંદર્ભમાં ભારતીય ખાદ્ય સુરક્ષા માનક પ્રાધિકરણે ૧૧ સભ્યોની સમિતિ બનાવી છે. હવે આ સમિતિના રિપોર્ટ પર અમલ થઇ રહ્યો છે. મંત્રીએ કહ્યું કે, આ સંદર્ભમાં એફએસએસએઆઇ અને ભારતીય જાહેરખબર માનક પરિષદ વચ્ચે કરાર થયા છે. તેમણે કહ્યું કે, નવ મોટી કંપનીઓએ વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ કાર્ટૂન ચેનલો પર આ પ્રકારની જાહેરાતો આપશે નહીં.

Related posts

શાહરુખની ઝીરો સલમાન ખાનની દબંગ થ્રી સાથે ટકરાશે

aapnugujarat

આલિયાએ લંડનમાં ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો બર્થ ડે

aapnugujarat

शाहिद कपूर और श्रद्धा कपूर टिहरी में स्कूटी पर दिखे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1