ફિલ્મ પદ્માવતમાં કામ કર્યા બાદ હવે ખુસુરત અદિતી રાવ હૈદરી પાસે બે મોટી ફિલ્મ આવી ગઇ છે. તે હિન્દી ફિલ્મ દાસ દેવમાં દેખાશે. જેમાં તેની સાથે રિચા ચડ્ડા અને રાહુલ ભટ્ટ જોવા મળનાર છે. આ ફિલ્મ ૨૦મી એપ્રિલના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ઉપરાંત મણિરત્નમની વધુ એક ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તે મણિરત્નમની તમિળ ફિલ્મમાં નજરે પડનાર છે. આ ફિલ્મમાં અરવિન્દ સ્વામી મુખ્ય રોલમાં દેખાશે. પદ્માવતમાં ટુકી ભૂમિકા હોવા છતાં તે આ ફિલ્મમાં તેની ભૂમિકાથી તમામને પ્રભાવિત કરી ચુકી છે. પદ્માવત ફિલ્મમાં તે અલાઉદીન ખિલજીની પત્નિના રોલમાં નજરે પડી હતી. તે મહેરુનિસાના રોલમાં નજરે પડી હતી. અદિતિ હવે ફરી એકવાર મણિરત્નમની સાથે કામ કરવા જઇ રહી છે. તે પહેલા તે મણિરત્નમની સાથે ફિલ્મમાં કામ કરી ચુકી છે. કાટરુ વેલિયીદાઇ નામની ફિલ્મમાં તે નજરે પડી હતી. અદિતિ રાવએ નવા હેવાલને સમર્થન આપતા કહ્યુ છે કે વર્ષ ૨૦૧૮માં તેના કરતા વઘારે સારી અપેક્ષા રાખી ન હતી. કારણ કે તે પહેલા માનતી હતી કે પદ્માવત ફિલ્મમાં તેની પાસે કરવા જેવુ કઇ નથી. પરંતુ હવે ફિલ્મમાં તેની પ્રશંસા થઇ છે. હવે મણિરત્નમ જેવા નિર્માતા નિર્દેશકની સાથે તે કામ કરી રહી છે. જેમાં તેની મોટી ભૂમિકા રહેશે. મણિરત્નમની સાથે એક વર્ષ બાદ ફરી કામ કરી રહી છે. મણિરત્નમની સાથે બે ફિલ્મ કરવાનો મતલબ એ છે કે તમે તેમના ફેવરીટ કલાકાર છો. તેના માટે આ મોટી બાબત છે. અદિતિએ તેના રોલના સંબંધમાં કોઇ માહિતી આપી નથી પરંતુ જાણવા મળ્યુ છે કે તે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અદા કરી રહી છથે. આગામી મહિનામાં આ ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવનાર છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ